top of page
aloe vera.jpg

કુંવારપાઠું

*કુંવારપાઠાનો ચમત્કાર!*

કુંવારપાઠાનાં સૌંદર્ય પ્રસાધનોને લગતા ગુણોથી તો આપ પરિચિત હશો. આજે આપણે કંઇક અલગ ગુણ વિશે વાત કરવી છે.

 

ફટાકડાં ફોડતી વખતે કોઈ બાળક થોડું દાઝી જાય કે ઘરમાં રસોઈ કરતી વખતે કોઈ મહિલા થોડી દાઝી જાય ત્યારે પ્રાથમિક સારવાર રૂપે કુંવારપાઠું ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ સંજોગોમાં કુંવારપાઠુંનું મોટું અને રસદાર લાબરું (પાન) લઈ એની ઉપરની છાલ ઉતારી એનો રસ અને ગર્ભ દાઝેલા ભાગ પર લગાડવાથી બળતરા શાંત થઈ જાય છે અને પાક થતો નથી અને પાક થયો હોય તો રૂઝાય જાય છે. 

 

સ્વ. વૈદ્ય શોભન વસાણી દ્વારા પોતાનાં જીવનમાં જોયેલાં પ્રસોગોને વર્ણવતો "કુંવારપાઠાનો ચમત્કાર" નામનો લેખ એક વાર વાંચવા જેવો ખરો. આ લેખ આપ અહીંથી વાંચી શકો છો.

https://ayurjagat.wordpress.com/

*દરેક વૃક્ષ છે ખાસ*

(કુંવારપાઠું - Aloe vera -  ભાગ ૧)

bottom of page